- text
મોરબી : લાલાપર ગામે ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમા સી ડી પી ઓ ભાવનાબેન ચારોલા, આંગણવાડી સુપરવાઇઝર મહેશ્વરીબા, હેડ ટીચર નિલેશ કૈલા, લાલપર તા.શાળાના આચાર્ય કૈલાસભાઇ, ગામના સરપંચ હીનાબેન, ઉપસરપંચ રમેશભાઇ, તથા અન્ય સભ્યો કમલેસભાઇ, પ્રવીણ ભાઇ અને લાલપરના પૂર્વ સરપંચ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ સહિત આંગણવાડીના વકઁર, લાલપર પી એચ સીના અધિકારીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ તબક્કે નવા પ્રવેશ મેળવેલ આંગણવાડીના તેમજ ધોરણ ૧ના ૩૭ જેટલા વિદ્યાર્થીઓને સ્કુલબેગ, વોટરજગ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. સરકારની આ યોજનાથી સ્કુલમા નવા પ્રવેશ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો થયો છે પંરતુ વાલીઓ વધુ જાગુત થશે તો આવનારી પેઢી વધુ આગળ આવશેં એવું સૌનું માનવું રહ્યું હતું.
- text
- text