મોરબી સિરામિક એસોશિયેશન દ્વારા ઉદ્યોગકારો માટે મોટિવેશન સેમિનારનું ભવ્ય આયોજન

- text


ભારતના જાણીતા મોટીવેટર સંતોષ નાયર મોરબીના ઉદ્યોકારોને ચાવીરૂપ માર્ગદર્શન આપશે

22મી જૂને સ્કાય મોલમાં સાંજે 5 વાગે સેમિનાર યોજાશે : સેમિનારની ટિકિટ અને વધુ વિગત માટે સંપર્ક : પ્રકાશભાઈ (9727570850)

મોરબી : મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા આગામી 22 જૂન 2017ના રોજ સાંજે 5.00 વાગ્યે સ્કાય મોલ ખાતે મોરબીના સિરામિક સહિતના તમામ ઉદ્યોગકારો માટે એક પેઈડ મોટિવેશન સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના જાણીતા મોટિવેશન અને કોન્ફીડન્સ ગુરુ તેમજ એન્ટરપ્રેન્યર કોચ અને સેલ્સ ગુરુ સંતોષ નાયર મોરબીના ઉદ્યગકારોને માર્ગદર્શન આપશે. આ સેમિનાર અંગે વધુ માહિતા આપતા સિરામિક એસોસિયેશનના પ્રમુખ કે.જી.કુંડારીયાએ મોરબી અપડેટ સાથેની વાત ચિતમાં જણાવ્યું હતું કે આ સેમિનાર પેઈડ સેમિનાર છે. જેમાં સિરામિક એસોસિયેશનના સભ્યો તેમજ અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો પણ સેમિનારમાં જોડાઈ શકે છે. મારી મોરબીના દરેક ઉધોગકારોને અપીલ છે કે ખાસ આ સેમિનારનો લાભ લે. સેમિનારની ટિકિટ આગામી 18 જૂન પછી મળશે. સેમિનારની વધુ વિગત અને ટિકિટ માટે મોરબી સિરામિક એસોસિયેશનની ઓફિસ અથવા તો પ્રકાશભાઈ (મો.9727570850)નો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

- text

- text