જસાપર :શિક્ષકોએ પણ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો

- text


જસાપર પ્રા. શાળાના આચાર્ય અને બે શિક્ષકોએ પોતાના જ બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

માળિયા મીં. : જસાપર ગામની શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અશ્વિનભાઈએ પોતાના પુત્ર અને અન્ય બે સરકારી શાળાના શિક્ષકોએ પણ પોતાના પુત્રોને ગામની જ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવીને શિક્ષક સમાજ અને અન્ય વાલીઓ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત શાળામાં બાલમેળો, લાઈફ સ્કીલ મેળો અને મેટ્રીકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ શ્રી નિર્મલભાઇ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી ડી.બી. જેઠલોજા વહિવટી અધિકારી જિલ્લા પંચાયત મોરબી, વિરલભાઈ સાણજા, સરપંચ નિર્મલભાઇ, ગ્રામજનો, શિક્ષકો, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.⁠⁠⁠⁠

- text

- text