મોરબી : મધ્યપ્રદેશમાં ખેડૂતોને થયેલા અન્યાય સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આદેશ અનુસાર મધ્યપ્રદેશમાં ખેડૂતોનાં અંદોલન દરમિયાન થયેલા ગોળીબાર સામે વિરોધ કરવા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી નવા સેવા સદન સામે આજે તા. ૯ જૂનનાં રોજ સવારે ૧૦ વાગ્યે મોરબી કોંગ્રેસ દ્વારા દેખાવ અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સોનલબેન જકાસણીયા પ્રમુખ જિલ્લા પંચાયત, ક્રિશ્નાબેન પટેલ પ્રમુખ મહિલા કોંગ્રેસ, બ્રિજેશ મેરજા પ્રમુખ જિલ્લા કોંગ્રેસ, પારસ ઘકાણ પ્રમુખ આઈટી સેલ, પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ યુવક કોંગ્રેસ અને દેવેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ એનએસયુઆઈ, કોંગી આગેવાન વિજય સરડવા, એલ.એમ.કંજારીયા સહીત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. અને સેવાસદન પાસે ધારણા કરી મધ્યપ્રદેશમાં ખેડૂતોનાં અંદોલન દરમિયાન થયેલા ગોળીબાર સામે વિરોધમાં તેમજ સરકાર દ્વારા ખેડૂતોને થતા અન્યાય મુદ્દે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

- text