ટંકારા : પાટીદાર પરિવારના ઘરમાં જાણભેદુએ હાથ ફેરો કર્યો

- text


ટંકારા : રૂપાવટી સોસાયટીમાં વસતા પાટીદાર જયંતીલાલ સવજીભાઈ દુબરીયાના રહેણાંક મકાનમા હાલ રંગરોગાન કામ ચાલતુ હોવાથી ઘરના અન્ય સભ્યો તેના જુના રહેઠાણે રહેતા હતા.જયારે જયંતીલાલના પત્નિ જાગૃતિબેન પોતાના રોજીંદા ઘર કામમાં વ્યસ્ત હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ઘરના ખુલા દરવાજા હોવાથી મોકાનો ફાયદો ઉઠાવી ઘરમા પ઼વેશી કબાટમાથી સોનાનો ચેન સેરવી હાથ ફેરો કરી પલાયન થઈ ગઈ હતી. આ બાબતે ટંકારા પોલીસમા ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસના પ઼ાથમિક અનુમાન મુજબ કોઈ જાણભેદુ ઘરમા ચોરી કરી હોવાની શક્યતા છે.

- text

- text