હળવદ-મયુરનગર વચ્ચેના કોઝવે માટે રૂા.પ.પ કરોડની ફાળવણી

- text


ધારાસભ્ય શ્રી જયંતીભાઇ કવાડીયાની વધુ એક સફળ રજુઆત

ધ્રાંગધ્રા-હળવદ મત વિસ્તારની હરહંમેશ ચિંતા કરતા એવા ધ્રાંગધ્રા-હળવદ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રીની વધુ એક રજૂઆત સફળતાથી રંગ લાવી છે ત્યારે હળવદ- મયુરનગર વચ્ચે બ્રાહ્મણી નદી પરનો કોઝવે જર્જરીત હાલતમાં હોવાથી, આ રસ્તાનો ઉપયોગ કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિસ્તારની પ્રજા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતા.
આ કોઝવે વાહનવ્યવહાર માટે લાયક ન રહેવાથી આ વિસ્તારની પ્રજાને હળવદ આવવા-જવા મોટુ અંતર ફરવુ પડતુ હતું. પ્રજાની આ મુશ્કેલીનો અંત લાવવા વિસ્તારના ધારાસભ્યશ્રી અને રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયાએ અંગત રસ લઇને રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલનું ધ્યાન દોરતા, રાજય સરકારે આ કોઝવેના રીપેરીંગ માટે મુખ્યમંત્રી ગ્રામ-સડક યોજના હેઠળ રૂા.પ.પ કરોડ મંજુર કરતા મયુરનગર પંથકમાં વધુ એક વિકાસનું કામ થતા પ્રજાજનોમાં હરખ અને આનંદની લાગણી જોવા મળેલ છે.

- text

- text