- text
હળવદ : લોહાણા સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન ભગવાન શ્રી કૃષ્ણનું ફૂલેકું વાજતે-ગાજતે શહેરની બજારમાં નીકળેલું હતું. આ પ્રસંગે કન્યા પક્ષનાં યજમાન કૃષ્ણલાલ વ્રજલાલ પુજારા અને વરપક્ષ તરીકે ઠાકરશીભાઈ મોહનભાઈનાં પરિવાર સહિત લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી રુક્ષ્મણીવિવાહનો ઉત્સવ ઉજવ્યો હતો. રુક્ષ્મણી વિવાહ પ્રસંગે આબેહુબ લગ્નની છાબ ધરવા સહિત દિવ્ય લગ્નપ્રસંગનું વાતાવરણ સર્જાયું હતું.
- text