મોરબી : દીવ ફરવા ગયેલી પરિણીતા પર કૌટુંબિક જેઠ દ્વારા બળાત્કાર

- text


મોરબી : મોરબીની એક પરિણીતા તેર દિવસ અગાઉ પતિ અને કૌટુંબિક જેઠસાથે દીવ ફરવા ગયેલી હતી. જ્યાં કૌટુંબિક જેઠ દ્વારા પરિણીતા પર બળાત્કાર આચરી ધમકી આપતા પરિણીતાએ દીવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા દીવ પોલીસે આરોપીને મોબાઈલ લોકેશન પરથી રાજુલામાં જડપી લીધો હતો.

- text

દિવથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં રહેતા દંપતિ તેમજ કૌટુંબિક હસમુખ દિપક ચોવીસીયા સાથે ગાડીમાં તા. ૧૭ મેનાં દીવ ફરવા ગયા હતા. જ્યાં પહોચ્યા બાદ સમી સાંજે જેટી પર બેસી હસમુખે તેના ભાઈને દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ રાત પડી જતા દીવમાં હોટેલ ન મળતા હસમુખે કાર કિલ્લાના પાર્કિંગ એરિયામાં પાર્ક કરી બધા લોકો કારમાં ઉંધી ગયા.
રાત્રી દરમિયાન હસમુખ હવસખોર બનતા કૌટુંબિક ભાઈની સૂતેલી પત્ની સાથે શારીરિક અડપલા કરેલાં. જેથી મહિલા જાગી જતા હસમુખે તેને ધમકી આપી શારીરિક દુષ્કર્મ કર્યું હતું. બાદમાં મોબાઈલ દ્વારા ફોટો પડી ચૂપ રહેવા ધમકી આપેલી હતી. એટલું જ નહીં હસમુખે મહિલાને તેના ખાતામાં એક લાખ જમા કરાવવા પણ કહ્યું હતું. તેવી ફરિયાદ મોરબીની પરિણીતાએ દીવ પોલીસમાં નોંધાવતા દીવ પોલીસે ફરિયાદ નોંધી આરોપી હસમુખને મોબાઈલ લોકેશનનાં આધારે રાજુલામાંથી દબોચી દમણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text