મોરબી : કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર ગંગવારને જીએસટી અંગે રજૂઆત

- text


મોરબી : કેન્દ્રીય નાણામંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી બાદ કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર મહિવાલને જીએસટી અંતર્ગત સિરા.ઉદ્યોગને ૧૨થી ૧૮ ટકાનાં સ્લેબ ટેક્સમાં રાખવા માંગણી સાથે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ રજુઆત કરી છે.

- text

આજ રોજ કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર ગંગવારને મોરબી સિરામિક એસો.નાં પ્રમુખોએ મળીને જીએસટી સ્લેબ ટેક્સમાં ફેરબદલ કરવા જોરદાર રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સિરા,એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા સાહેબે સિરા. ઉદ્યોગને ૨૮ ટકા જીએસટી સ્લેબ ટેક્સ રાખતા સામાન્ય માનવી અને વેપારીને કેટલી ગંભીર સમસ્યા અને મોંઘવારી સાથે શોષણનો સામનો કરવો પડશે એ વાત વિસ્તારપૂર્વક રજૂ કરી દેશનાં પ્રત્યેક નાગરિકનાં હિત માટે સિરા.ઉદ્યોગને ૧૨થી ૧૮ ટકાનાં જીએસટી સ્લેબમાં સમાવવા મોરબી સિરા, ઉદ્યોગ વતી રાજ્ય કક્ષાનાં કેન્દ્ર સરકારનાં નાણામંત્રી સંતોષકુમારને રજૂઆત કરી છે.

- text