- text
હળવદ : લોહાણા સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં કૃષ્ણજન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણા સમાજનાં આગેવાનો અને લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી નંદ ઘેર આનંદ ભયોનાં હર્ષનાદ સાથે કૃષ્ણજન્મનો અનેરો ઉત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગ દરમિયાન લોહાણા સમાજનાં પ્રતિષ્ઠિત આગેવાનોનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સંગીતમય સુરાવલી અને અમૃતવાણી વડે શાસ્ત્રી હિરેનભાઈનાં કથામૃત વચનોનું સૌ ભાવિકોએ રસપાન કર્યું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા સમાજ, રઘુવંશી યુવક મંડળ તેમજ રઘુવંશી મહિલા મંડળે વિશેષ જહેમત ઉઠાવી હતી.
- text