- text
કેરાલા ગામમાં ગૌવંશની શંકાસ્પદ મોતના બનાવો યથાવત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે આજે એક ગાયનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયુ હતુ. આ બનાવની જાણ કેરાળા ગામના ગૌસેવક કૈલાશબેનને થતાં તુરંત જ વાંકાનેરના ગૌસેવક મયુરભાઈનો સંપર્ક કરતા વાંકાનેર શિવસેના તથા ગૌસેવાના કાર્યકરો દ્વારા આ ઘટના અંગે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
- text
કેરાળા ગામમાં છેલ્લા એક મહિનામાં ગાયના શંકાસ્પદ મૃત્યુની આ પાંચમી ઘટના છે. છાસ વારે અહીં ગાય માતાના શંકાસ્પદ મૃત્યુ થતા રહે છે. આથી આવી ઘટના અવારનવાર બનતા ગૌસેવકો તથા શિવસૈનિકોમાં રોષની લાગણી ભભૂકી ઊઠી છે. આ મૃત્યુ ખરેખર ઝેરી પદાર્થ ખાવાથી થયા છે કે કોઈના દ્વારા ખવડાવ્યા છે તે રહસ્ય અકબંધ છે ત્યારે
વાંકાનેર પોલીસે કૈલાશબેનની ફરિયાદના આધારે આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
- text