મોરબી નજીક લુ લાગવાથી આધેડનું મૃત્યું

- text


મોરબી : મોરબી નેશનલ હાઇવે પર ટીમણીના પાટિયા પાસે આનંદ હોટલ પાછળ આવેલા મફતીયાપરામાં આવેલા હોકરામાંથી ગઈ કાલે અંદાજે 42 વર્ષના આધેડ બેભાન હાલતમાં મળી આવતા તેમને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મુત્યુ નીપજ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ આધેડનું ગરમીના કારણે લુ લાગવાથી મુત્યુ થયું છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આધેડ ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જેમાં મૃતક આધેડનું નામ નરેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર હોવાનું અને રખડતું ભટકતું ભિક્ષુકનું જીવન જીવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

- text

- text