મોરબી : ભારતીય સેનામાં ભરતી : જિલ્લાનાં યુવાનોને જવાન બનવાની તક

- text


મોરબી : ભારતીય સેનામાં ભરતી કાર્યક્રમ યોજાવાનો છે. જે અંતર્ગત આર્મી રિક્રુટમેન્ટ કચેરી-જામનગર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી-ભાવનગર યુનિ. ગ્રાઉન્ડ-ભાવનગર ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ વિસ્તારનાં ભાગ લેવા ઇચ્છુક જાબાઝ યુવાનોએ ઇન્ડિયન આર્મીની વેબસાઇટ www.joinindianarmy.in પર તા.૪ જુનથી તા.૧૮ જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

- text

ભારતીય સેના દ્વારા તા.૩થી તા.૧૩ ઓગષ્ટ દરમિયાન યોજવામાં આવનાર ભરતીમેળામાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનિકલ, સોલ્જર કલાર્ક, સોલ્જર ટેકિનકલ નર્સિંગ આસિસટન્ટ, સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ પરંતુ હાઉસકીપર અને મેસકિપર સિવાય તેમજ સોલ્જર ટ્રેડમેન હાઉસકીપર અને મેસકિપર સહિતની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. વધુ વિગતો માટે આર્મી રિક્રુટમેન્ટ હેલ્પલાઇન (૦૨૮૮) ૨૫૫૦૩૪૬ પર કામકાજના દિવસો દરમિયાન સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધીમાં સંપર્ક સાધવાનો રહેશે. આ ઉપરાંત નજીકની જિલ્લા રોજગાર કચેરી પર આ ભરતી સંબંધિત વિગતો મળી શકાશે તેવું જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text