ટંકારા : અરવિંદભાઈ બારૈયા : હેપ્પી બર્થડે ટુ યુ..

- text


ટંકારા : રાજકીય અગ્રણી, ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર તેમજ તરવૈયા યુવાનની પ્રતિભા ધરાવતા અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ છે. ટંકારાના નાનકડા ગામ નાના ખિજડીયાના પાટીદારને ઘરે ૨૫-૫-૧૯૭૯નાં રોજ અરવિંદ બારૈયાનો જન્મ થયો હતો. બાળપણથી જ સમાજ માટે કંઈક કરવાની ઇચ્છાએ અરવિંદભાઈને મોરબીનાં મોટા ગજાનાં ઉદ્યોગપતિ બનાવ્યા. હાલમાં અરવિંદભાઈ એક્ટીવ સિરામિક અને એલાઈવ સિરામિક ઉપરાંત મોરબી જિલ્લાનાં જાણીતા ગણેશ મંડપ સર્વિસના માલીક છે. આટલું જ નહીં પરંતુ અરવિંદભાઈ રાજકીય ક્ષેત્રે ટંકારા પડધરી મતવિસ્તારના પ્રથમ હરોળના નેતા છે. આ સાથે ટંકારા ઉમિયા સમૂહલગ્ન સમિતિ કન્વીનર, મોરબી મેરેજ બ્યુરો, બારૈયા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ, સમાધાન પંચ મોરબીનાં સભ્ય, માનવસેવા ટ્રસ્ટ ટંકારા કન્યા છાત્રાલયનાં કાર્યકારી, લાઈફ મિશન ટ્રસ્ટ મોરબી નવરાત્રિ મહોત્સવ અને ગણેશ ઉત્સવનાં આયોજક સાથે સજ્જનપર સાગર ગૌશાળાનાં સભ્ય તરીકે અનેકવિધ સેવાકીય, સામાજિક પ્રવૃત્તિ અને હોદ્દા સાથે જોડાઈ સેવા આપે છે. અરવિંદભાઈએ ટંકારા યુવા ટીમ બનાવી ગરીબ અને મધ્યમવર્ગના બાળકો માટે પૌષ્ટિક આહારની વ્યવસ્થાનું કામ શરૂ કર્યું છે. આવા લોક લાડીલા અરવિંદભાઈ બારૈયાના જન્મદિવસ પર તેમના મો નં 9825212817 પર સવારથી મિત્ર વર્તુળ, સગા-સ્નેહી શુભેચ્છા વરસાવી રહ્યા છે.

 

- text