મોરબી ના લખધીરપુર રોડ પર ક્રેઈન હડફેટે રાજકોટ ના યુવાનનું મોત

- text


રાજકોટ ના નરસંગ પર માં રહેતા  રવિરાજસિંહ અનિરુદ્ધસિંહ વાઢેર (ઉ.વ. 30)  આજે બપોર ના સમયે કલર ના માર્કેટિંગ માટે મોરબી ના લખધીરપુર રોડ પર ચાલી ને જતા હતા  તે દરમ્યાન પેટ્રોલ પંપ પાસે પાછળ થી  GJ 12 K 7580 નંબર ના ક્રેઈન ચાલકે ઠોકર મારતા રવિરાજસિંહ નું ઘટના સ્થળે  જ મોત  થયું હતું અકસ્માત સર્જી ને ક્રેઈન રેઢી મૂકી ને ચાલક ફરાર થઇ ગયો હતો ,ત્યારબાદ મૃતક ને પી. એમ. અર્થે  હોસ્પિટલે ખસેડી  વધુ તાપસ  મોરબી તાલુકા પોલીસ ના જમાદાર હિતેશભાઈ ચલાવી રહ્યા  છે.

- text