- text
તા. ૨૬ મે શુક્રવારનાં રોજ લોક ડાયરા અને ભોજન સભારંભ સહિતના કાર્યક્રમો સાથે સર્જાશે ભાઈચારાનું વાતાવરણ
- text
ટંકારા : ઠાકોર સેનાના નેજા હેઠળ આગામી તા. ૨૬ મે શુક્રવારના રોજ S.C., S.T., OBC તથા મુસ્લિમ સમાજનું ઐતિહાસિક સ્નેહમિલન લતીપર ચોકડી પાસે ટંકારા ખાતે યોજાશે. આ સ્નેહમિલનમાં સમસ્ત ટંકારા તાલુકાનાં ઠાકોર સમાજ, ભરવાડ-રબારી સમાજ, દેવીપુજક સમાજ, દલિત સમાજ, ભીલ સમાજ, મલ સમાજ, આદિવાસી સમાજ, વાલ્મિકી સમાજ, રાવળદેવ સમાજ તથા મુસ્લિમ સમાજનાં સર્વે ભાઈ-બહેનોને હાજરી આપશે. આ કાર્યક્રમમાં યોજનારી મહાસભામાં સમાજની એકતા બની રહે તથા અન્યાય સામે અવાજ ઉઠાવવા જેવા અનેક મુદ્દા પર ચર્ચા અને ક્રાતિકારી ભજનો, લોકગીતોથી સામાજિક પરીવર્તનનુ આહવાહન થશે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ S.C.,S.T, OBC તથા મુસ્લિમ એકતા મંચનાં કાર્યકરો (ટંકારા તાલુકા સમિતિ) દ્વારા આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
- text