રવાપર : માધવ ગૌશાળા દ્વારા ૨૮ મેનાં રોજ સંતવાણીનું આયોજન

- text


- text

મોરબી : રવાપરની માધવ ગૌશાળા દ્વારા સર્વ ધર્મ પ્રેમી જનતા માટે તા. ૨૮ મેનાં રવિવારનાં રોજ ભવ્ય સંતવાણીનું આયોજન રવાપર ગામનાં પાદર, શિવમંદિરની સામે, રવાપર ખાતે કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં સૌરાષ્ટ્ર કચ્છનાં જાજરમાન કલાકારો એવા નીલેશભાઈ ગઢવી, જાગૃતિબહેન ગોહિલ, ભરત પટેલ, ભાવેશભાઈ પટેલ પોતાના સાંજીદા સાથે સંગીતમય પ્રસ્તુતિ આપશે. આ સંતવાણીનો લાહવો લેવાં માધવ ગૌશાળા દ્વારા સમસ્ત મોરબી જિલ્લાની જનતાને ભાવભીનું આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

- text