ટંકારા : સમાજસેવી અગ્રણી અરવિંદભાઈ બારૈયા તરફથી અન્નદાનની સેવાકીય પ્રવૃતિ

- text


ટંકારા : જ્યાં અન્નનો ટુકડો, ત્યાં હરિ ઢુંકડોની ઉક્તિને સાર્થક કરતાં ટંકારા – પડધરી વિધાનસભા વિસ્તારનાં અગ્રણી અરવિંદ બારૈયા (ગણેશ મંડપ સર્વિસ) તરફથી ગરીબ લોકોને અન્નદાનની સેવાકીય સામાજિક પ્રવૃતિ કરવામાં આવી હતી. આજે જ્યારે મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ગરીબ કુટુંબોને બે ટાઈમનાં રોટલાંનાં ફાંફા પડે છે. ગરીબ પરિવારોનાં બાળકો કુપોષણ અને નાદુરસ્તીથી પીડાઈ છે એ સમયે અરવિંદભાઈ બારૈયા (ગણેશ મંડપ સર્વિસ) જેવા સમાજસેવી અગ્રણી તરફથી થતું અન્નદાન પ્રસંશા અને અન્ય લોકો માટે પ્રેરણાને પાત્ર છે.

- text