મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજીત તૃતીય સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી સંપન્ન

- text


મોરબી : સતવારા સહકાર મંડળ દ્વારા તા.૧૭ મેના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવ -૨૦૧૭ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪ નવદંપતીઓ સંતોની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલા પાડયા હતા. આં સમૂહ લગ્નોત્સવ બાયપાસ રોડ, કામધેનું પાર્ટી પ્લોટની બાજુમાં રામકો ફાર્મ ખાતે રાત્રીના સુંદર આયોપજન સાથે ભવ્યતા અને ધામધૂમથી યોજાયા હતા. સમુહલગ્નમાં સમસ્ત સતવારા સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં મોરબીના રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ લગ્નોત્સવને સફળ બનાવવા ભાવેશભાઈ કંઝારીયા, ગણેશભાઈ નકુમ, અરજણભાઈ કંઝારીયા, પ્રમુખ મેહુલભાઈ કંઝારીયા, તથા મંત્રી લાલજીભાઈ જાદવ સહિતની યુવા કાર્યકરોની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.

- text