મોરબીના જોધપર ગામ નજીક અક્સમાતમાં આશાસ્પદ પટેલ યુવાનને કાળ ભેટી ગયો

- text


- text

મોરબી : મોરબીના જોધપર ગામ નજીક અક્સમાતમાં આશાસ્પદ પટેલ યુવાનનું મૃત્યુ થયું હતું. જેમાં બગથરા ગામે રહેતા રાજેશભાઈ વાલજીભાઇ સાણદીયા (ઉ. ૩૭) નામનો યુવાન બાઈક પર આજે સરતાનપર રોડ ઉપર આવેલા કમાન્ડર સીરામીકમાં કામથી જઈ રહ્યો હતો ત્યારે બપોરના એક વાગ્યેની આસપાસ જોધપર નદી પાસે પહોચ્યો ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલ જીજે ૧૮એટી ૯૧૮૭ નંબરના ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા તેને ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ મૃતક પટેલ યુવાન કમાન્ડર સીરામીક કારખાનામાં કામ કરતો હતો. યુવાન પરણીત અને બે સંતાનોમાં એક પુત્ર તથા એક પુત્રી છે. આશાસ્પદ પટેલ યુવાનના અકસ્માતમાં મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી મચી ગઈ હતી.

- text