વાંકાનેરના માજી કોર્પોરેટરના પુત્રનું અકસ્માતમાં મોત

- text


શુક્રવારની રાત્રીના સામસામે બે બાઈક અથડાયા હતા : સારવાર દરમ્યાન ૧ નું મોત

- text

વાંકાનેર : વાંકાનેર નજીક હાઇવે પર આવેલ સર્વિસ રોડ પર મોનાલી ચેમ્બર નજીક શુક્રવારની રાત્રીના સામસામે બે બાઈક અથડાયા હતા જેમાં ત્રણને ઈજા થયેલી જે પૈક્કી ગંભીર ઘાયલ થયેલ માજી કોર્પોરેટર પુત્ર નું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય બે ઘાયલ હજુ રાજકોટ સારવાર હેઠળ છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેર નજીક મોનાલી ચેમ્બર પાસેના સર્વિસ રોડ પર શુક્રવારની રાત્રીના સમયે શહેરમાં આંબેડકર નગર માં રહેતા અને માજી કોર્પોરેટર ના પુત્ર હિતેશ શામજીભાઈ પરમાર જમવા લેવા ચંદ્રપુર તરફ જતો હતો ત્યારે સામેની બાજુએ થી ડબ્બલ સવારીમાં આવતા દીપક લીલાભાઈ સિંધવ અને તેનો પિત્રાઈ ભાઈ જયેશ રજુ સીંધવા નું મો.સા. સાથે ધડાકાભેર અથડાયા હતા.
બંને મો.સા. સારી એવી ઝડપમાં હોય બંનેના ત્રણેય ચાલકોને ખાસ્સી એવી ઈજાઓ થઇ હતી. જેથી આસપાસ ના લોકોએ તુરંત તેઓને પ્રાથમિક સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલમાં ખસેડ્યા હતા. જ્યાં ત્રણેય ની હાલત નાજુક હોય રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડેલા.
જ્યાં આજરોજ સારવાર દમ્યાન હિતેશ શામજીભાઈ પરમાર નું ટુકી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. હિતેશ તેના પરિવારમાં બે ભાઈઓ અને બે ભએનોમાં ત્રીજા ક્રમે હતો. મોટાભાઈ અને બંને બહેનોના લગ્ન થઇ ચુક્યા છે. યુવક નું અકાળે અવસાન થતા પરમાર પરીવાર માં શોક નું મોજું ફરી વળ્યું છે.

- text