મોરબીના રામધન આશ્રમમાં ઉમિયા માતાજીના ૧૩માં પાટોત્સવની ભાવભેર ઉજવણી સંપન્ન

- text


નવ દિવસની ધૂનનું આયોજન

- text

મોરબી : રામધન આશ્રમમાં ઉમિયા માતાજીના મંદિરે દરવર્ષે ભવ્ય પાટોત્સવ ઉજવામાં આવે છે. અને દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉમિયા માતાજીના ૧૩ માં પાટોત્સવની મહંત ભાવેશ્વરીબેનની ઉપસ્થિતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે નવ દિવસ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સવારે મહાપૂજા, મહાઆરતી, યજ્ઞ, ધજારોહણ, તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો આ પાટોત્સવમાં જોડાયા હતા. તેમજ છગનબાપા ભીમાણી, રેવાબેન ધોરીયાણી, નરશીભાઈ અદ્રોજા સહિતના અન્ય ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text