વાંકાનેર : PSIના ભાઈની હત્યામાં બે સામે ગુન્હો નોધાયો

- text


પારીવારીક મન દુઃખ માં કૌટુંબિક ભાઈઓએ જ હત્યા કર્યા નું ખુલ્યું

વાંકાનેર : કોઠારિયા ગમે રહેતા અને ઓટો રિક્ષા ચલાવતા તેમેજ મોરબીમાં ફરજ બજાવતા પીએસઆઈ ચાવડાના ભાઈ સતીષ પરશોતમભાઈ ચાવડાની હત્યાના બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે સતીષ પરશોતમભાઈ ચાવડા સાથે તેના કૌટુંબિક ભાઈ એવા મહેન્દ્ર પોપટ ચાવડા તેમજ દિલીપ નાથાભાઈ ચાવડા ને પંદરેક દિવસ અગાઉ એક પ્રસંગમાં કોઈ કારણોસર મનદુઃખ થયું હોય તે મનદુખના ભાગ રૂપે આજરોજ બંને ભાઈઓએ સતીષને લાકડી-પાઈપ વડે ઢોરમાર મારતા ટુકી સારવાર દરમ્યાન સતીષ નું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવમાં મહેન્દ્ર પોપટ ચાવડા તેમજ દિલીપ નાથાભાઈ ચાવડા સામે હત્યાનો ગુન્હો નોધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text