- text
તારીખ 9 અને 10 મે એ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
વાંકાનેર ના નવા ધમલપર ગામે આવેલા ગેલમાતાજી મંદિર ખાતે ભગવતી જગત જનની ગેલ ભવાની તેમજ બુટભવાની માતાજી તેમજ વેરશીંગબાપા ના આશીર્વાદ થી સવંત 2073 ના વૈશાખ સુદ 14 ને તા. 9/5/17 મંગળવારે પૂજ્ય વેરશીંગબાપાની સમાધિ મંદિર નો ભવ્ય શિખર મહોત્સવ તેમજ વિષ્ણુ યજ્ઞ તથા પ્રતિવર્ષે ઉજવાતો જગદંબા બુટભવાની તેમજ ગેલમાતાજી નો પાટોત્સવ નિમિતે વૈશાખ સુદ પૂનમ ને તા. 10/5/17 ને બુધવારના રોજ નવચંડી યજ્ઞ નું આયોજન કરેલ છે. આ ધાર્મિક પ્રસંગે સર્વે ભક્તજનો ને ઉપસ્થિત રહેવા ભુવા શ્રી પરષોત્તમ વેરશીંગભાઇ બાવરવા એ જાહેર આમંત્રણ પાઠવેલ છે.
- text
- text