મોરબી : લશ્કરી/અર્ધલશ્કરી પોલીસ ફોર્સમાં જોડાવા માટેનો સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમવર્ગનો પ્રારભ

- text


 

મોરબી

ગુજરાત સરકારશ્રીની રોજગાર વિનિમય કચેરી મોરબી દવારા લશ્કરી/અર્ધલશ્કરી પોલીસ ફોર્સમાં જોડાવા માટેના “સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગનો” ૧-૫-૨૦૧૭ થી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે કોલેજના આર્ચાયશ્રી ડો એલ.એમ. કણજારીયાની ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવેલ છે.

- text

આ એક માસના તાલીમવર્ગમાં તમામ કેટેગરીના ઉમેદવારોને ભરતી પૂર્વેની શારિરીક તેમજ માનસિક ક્ષમતા તેમજ લેખીત પરીક્ષાની તૈયારી માટેની સમજણ, ઉમેદવારોને મળનાર સવલતો સંરક્ષણ દળોમાં જોડાવાથી મળતા લાભો વગેરેનું માર્ગદર્શન આપવામાં આવશે.

આ તાલીમવર્ગને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રી બી.ડી. જોબનપુત્રા તેમજ કચેરીના કેરિયર કાઉન્સેલર શ્રી જગદીશ વી. ખીમસુરીયાએ ભારે જહેમત ઉઠાવેલ છે.

- text