શ્રી વાકાનેર તાલુકા સહકારી ખરિદ વેંચાણ સંઘ લી. ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટેની કામચલાઉ મતદારયાદી પ્રસિધ્ધ કરાઇ આ બાબતે વાંધા-સુચનો હોયતો રજુ કરવા

- text


મોરબી તા ૨૦ મી એપ્રીલ,

શ્રી વાકાંનેર તાલુકા સહકારી ખરિદ વેચાણ સંઘ લી. ધ્વારા તેની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટેની કામચલાઉ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. આ કામચલાઉ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધી તા.૧૯-૪-૨૦૧૭ ના દિવસથી પ્રાંત કચેરી તાલુકા સેવાસદન બીજો માળ, રાજકોટ રોડ વાંકાનેર, જિલ્લા રજિસ્ટારશ્રી સહકારી મંડળીઓની કચેરી ખેતિવાડી ઉત્પન બજાર સમિતિ શનાળા રોડ મોરબી અને શ્રી વાંકાનેર તાલુકા સહકારી ખરિદ વેંચાણ સંઘ લી.ની કચેરી દાણાપીઠ વાંકાનેર ખાતે પ્રસિધ્ધ કરવામાં આવી છે.

- text

ઉપરોકત મતદાર યાદી સંદર્ભે કોઇ વાંધો હોયતો આવા દાવાઓ-વાંધાઓ રજુ કરવાની છેલ્લી તારીખ ૨૬-૪-૨૦૧૭ સુધીમાં પ્રાંત કચેરી તાલુકા સેવાસદન વાંકાનેર ખાતે રજુ કરી શકશે મળેલ દાવા-વાંધાઓ નિકાલ કરવાની આખરી તા.૩-૫-૨૦૧૭ નિયત કરવામાં આવી છે. ત્યારબાદ તા.૫-૫-૨૦૧૭ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી ઉપરોકત કચેરીઓ ખાતે કરવામાં આવશે તેમ ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી વાંકાનેરની યાદીમાં જણાવ્યું છે.

- text